ભાજપની અયોધ્યામાં થયેલી હાર પર અખિલેશનો કટાક્ષ: સાંસદે કહ્યું- "હોઈ વહી જો રામ રચિ રાખા", બીજેપીની વિકાસની વ્યાખ્યાને આ શબ્દોમાં વખોડી..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02072024_072316_521.webp)
- 02 Jul, 2024
સંસદના વિશેષ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલતા યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે એનડીએ સરકાર જોરદાર હુમલો કર્યો છે. યુપીમાં બીજેપીને મોટો ઝટકો અને અયોધ્યા સીટ પર મળેલી હારને લઈને અખિલેશ યાદવે કહ્યું કે ત્યાંની જીત ભારતના પરિપક્વ જનતાની જીત છે. તેમણે સત્તાધારી પાર્ટી બીજેપી પર કટાક્ષ કરતા કહ્યું કે હોઈ વહી જે રામ રચિ રાખા.
અખિલેશ યાદવે એક કવિતા દ્વારા એનડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ તેમનો નિર્ણય છે, જેમની લાકડીમાંથી અવાજ નથી આવતો, જે લોકો કોઈકને લાવવાનો વાયદો કરતા હતા, તેઓ જ હાલ કોઈકના સહારાના લાચાર છે. અમે અયોધ્યામાંથી લાવ્યા છે, તેમના પ્રેમનો પૈગામ, જો સચ્ચે મનસે કરતે હૈ, સબકા કલ્યાણ, સદીઓથી જન જન ગાતા હૈ જિનકા નામ, અભયદાન દેતી હૈ જિનકી મંદ મંદ મુસ્કાન, માનવતા કે લિએ જીનકા ઉઠતા તીર કમાન, જે અસત્ય પર સત્યની જીત કા હો નામ, ઉફનતી નદી પર જો બાંધે મર્યાદાનો બંધ, વો હૈ અવધ કે રાજા પુરષોતમ રામ, હમ અયોધ્યાથી લેકર આયે હૈ પ્રેમ કા પૈગામ.
આ સિવાય અખિલેશ યાદવે કહ્યું કે બંધારણ જ સંજીવની છે અને તેમની જીત થઈ છે. બંધારણના રક્ષકોની જીત થઈ છે. આ સરકાર ચાલે તેવી નથી, પડે તેવી સરકાર છે. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશના લોકોનો બસ એ જ આગ્રહ છે, જે ગંગા જળને લઈને સાચુ કહેવાના કસમ ખાવામાં આવે છે. ઓછામાં ઓછું આ ગંગા જળથી તો ખોટું ન કહેવામાં આવે. વિકાસનો ઢઢેરો પીટનારા વિનાશની જવાબદારી ક્યારે લેશે, મંદિરની ટપકતી છત અને રેલવે સ્ટેશનની પડેલી દિવલે ભષ્ટ્રાચારની પોલ ખોલી દીધી છે.
તેમણે કહ્યું કે અમે જે રસ્તાઓ બનાવ્યા હતા, તેની પર હવાઈ જહાજો ઉતરતા હતા અને ઉત્તરપ્રદેશના મુખ્ય નગરના રસ્તાઓ પર તો હોડીઓ ઉતરી છે. હવે વધુ વરસાદ પડશે તો હોડીથી જ ચાલવું પડશે, આ જ સ્માર્ટ સિટીના દાવાઓનો હાલ છે. છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓ એટલી રહી કે એક શિક્ષા પરીક્ષા માફિયાનો જન્મ થયો.